રામજી મંદિર ઉના ઇતિહાસ Ramji Mandir una history in Gujarati
રામજી મંદિર ઉના ઇતિહાસ Ramji Mandir una history in Gujarati
રામજી મંદિર ઉના ઇતિહાસ
સવાસો વર્ષ પહેલા શ્રી દુધાધારી મહાત્માં શ્રી દયાળદાસથ ઉનામાં પધાર્યા હતા. ત્યારે શ્રી રામજીનુ ઋણું મંદિર હતુ ત્યાં શ્રી રામ, લક્ષ્મણુ, જાનકીજીની મુર્તિ પધરાવી પ્રતિષ્ઠા કરી હતી તેમાં દુર દુરથી વિષ્વાન બ્રાહ્મણો પધાર્યા હતા. અને નાગર શેરીમાં શ્રી દુધાધારી મહારાજની ગાદી છે. જેના દર્શન કરવાના અવશ્ય લાવો લેવો જોઇએ..
રામ નવમી શોભાયાત્રા
ઉના શહેર અને તાલુકાના વિવિઘ ગામોમાં પવિત્ર તહેવાર રામનવમી નિમિત્તે સમસ્ત હિન્દુ સમાજ તેમજ શ્રી રામ કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે આ પ્રસંગે રામજી મંદિરમાં રંગબેરંગી લાઈટોથી સુશોભિત કરવામાં આવે છે શહેરમાં શ્રીનાથજી હવેલી પાસે રામજી મંદિરે વિધિવત પૂજા અર્ચના કરી શોભાયાત્રા પ્રસ્થાન કરે છે અને આ શોભાયાત્રા ડી.જેના તાલે ધામધૂમથી વિવિધ બજારોમાંથી મુખ્યમાર્ગ પરથી નીકળી વડલા ચોક, બસ સ્ટેશન, ત્રિકોણ બાગ, ટાવર ચોકથી રામજી મંદિર સુઘી આ શોભાયાત્રામાં શહેર અને તાલુકાભરના હજારોની સંખ્યામાં લોકો જોડાય છે.