સતાધારનું યાત્રાધામ નો ઇતિહાસ Satadhar yatra dham history
સતાધારનું યાત્રાધામ નો ઇતિહાસ Satadhar yatra dham history in Gujarati
પણ મેં કરી તેવી સુસ્તી ગીરના કોઈ પ્રવાસી ન કરી બેસતા. સત્તાધારની જગ્યા ન જોનારની સાચી સોરઠયાત્રા નથી જમા થવાની.
આજે એ જગ્યાની શી દશા હશે તે તો જાણનારા જાણે. પણ સત્તાધાર એટલે તો સોરઠી લોકસંસ્કૃતિનું એક માર્મિક ક્રાંતિબિંદુ.
સત્તાધારનો સ્થાપનાર ગીગો ભગત. સંત ગીગાએ ગીરનાં ભરપૂર ચરિયાણની વચ્ચે સત્તાધારને ડુંગરગાળે ગાયોની ટેલ માંડી દીધી અને પરબ વાવડીની સંત દેવીદાસની જગ્યા જેવી જ પરંપરા સ્થાપી ગીગાએ. રક્તપીતિયાં કોઢિયાં રોગમાં સડી ગયેલાં જે કોઈ આવ્યાં તેને આશરો આપ્યો ગીગાનું સત્તાધાર સોરઠના જૂના કાળમાં નવયુગના કોઈ પણ માનવપ્રેમી સેવાશ્રમનું કાર્ય ઉઠાવનારું ધામ હતું.
સંત ગીગાના પિતાનું નામ અલીભાઈ. માતાનું નામ સુરઈ. રહેવાસી તોરી રામપુરાનાં.
સોરઠમાં ભયંકર દુકાળ પડતાં ત્રાસ ત્રાસ વર્તેલો. પોતાનાં ઢોરને ઉગારવા માટે સંત ગીગાનો પિતા બાઈ સુરઈને સગર્ભા મૂકીને જતો રહેલો. બાઈ પોતાના કોઈ સગાને ત્યાં ચલાલા જવા નીકળ્યાં. રસ્તે શાપુર ગામ આવતાં બાઈને દીકરો અવતર્યો.
આ વાતની જાણ શાપુરના ગરાસિયા અમરાભાઈને થતાં તેણે માદીકરાને રક્ષણમાં લીધાં. બાળક દોઢબે માસનો થયો ત્યાં સુધી પોષણ કર્યું. પણ દુષ્કાળનો દાવાનળ ભયાનક હતો. એટલે અમરાભાઈએ માદીકરાને રાજગોર હરખજી મહારાજ જોડે ચલાલે મોકલ્યાં. ચલાલા પણ દુષ્કાળમાં કંપતું હોઈ આ મહેમાનોને જોઈ સૂરીબાઈનાં સગાંનાં મોં કાળાં થઈ ગયાં.
એ સ્થિતિમાં સંત આપા દાનાએ કાળનો સામનો કરવા મોટો અનાથ આશ્રમ શરૂ કરેલો એટલે એમણે હસતે મોએ મા દીકરાને આશરે લીધાં.
ગીગાને સંત દાનાએ પુત્ર સમ પાળ્યો. ગીગાએ તથા માએ. સંતની નેકટેકથી સેવા કરી ગીગો જુવાન થયો ત્યારે સંત દાનાએ સૂરીબાઈને કહ્યું કે ગીગાને ન્યાતમાં જઈ વરાવોપરણાવો.
ભાઈ સરંભડે કુટુંબમાં ગયાં ત્રણચાર વર્ષ કાઢ્યાં પણ ગીગાનું દિલ સંસાર પર લાગ્યું જ નહીં. બાઈ પોતે તો સંસારથી કંટાળીને જ બેઠાં હતાં એટલે એ તો રાજી થઈને ગીગાને લઈ પાછાં ચલાલે આવ્યાં. જુવાન ગીગાએ જગ્યાની તપાસ સેવા કરવા માંડી ને છેવટે આપા ગીગા સંતપદને પામ્યા.
દિલાવર લોકસંસ્કાર
સંતોની આસપાસ ઊભા થયેલા વહેમો ચમત્કારો પરચાઓ ને પ્રજાઓ તો નાશવંત વસ્તુઓ છે કાળ એનો ભક્ષ કરી જશે. પણ સંત ગીગાની જીવનકથાને કાળનો કાળ મહાકાળ સુધ્ધાં નહીં ખાઈ શકે. એ કથા તો સદાકાળ આવતીકાલની જ કથા બની રહી જશે. એ કથાની પુનરુક્તિઓ નવી આવૃત્તિઓ નવા નવા સમાજોની અંદર નીકળથી જ રહેશે. બ્રાહ્મણોના ને ક્ષત્રિયોના સોરઠી દેવ સોમનાથ છો ને રોજ પ્રભાત છેક ગંગાજીથી આવતી કાવડના નીરથી નાહતા સમાજનાં ઉપલાં પડો છો ને આવા પ્રાણપોષક ક્રિયાકાંડો વડે પોતાની મહત્તા ચાલુ રાખતાં સમાજના તળિયામાં જે લોકસંસાર જીવતો હતો તેના મેલ ધોવા તો સંત ગીગાના ધામ સત્તાધાર જેવી જ ગંગાઓ વહ્યા કરતી ને ગીરનું જંગલ માત્ર બહારવટિયાઓને જ નહીં પણ સંતોનેય પોતાની ગોદ આપતું.
એવા સત્તાધારને નિહાળ્યા વિનાની મારી ગીરયાત્રા અધૂરી રહી છે.
રોઈદાસનો ચર્મકુંડ
સરસાઈ ગામ દીઠું હતું પ્રિવિયસ ક્લાસમાં ભણતો હતો ત્યારે. પણ ત્યારે તો મન ઉપર શાકુંતલ મેઘદૂત' અને સ્કૉટ ind તથા મેથ્યુ આર્નોલ્ડનાં જ ગાઢાં ધુમ્મસ છવાયાં હતાં. બહુ બહુ તો નરસીમીરાંનાં નામો જાણ્યાં હતાં. જાણીને આખા ભક્તિપ્રવાહ પ્રત્યે અણગમો સેવતો હતો. સંત રોઈદાસનો ચર્મકુંડ જોવા જવાની વૃત્તિ જ શાની થાય?
આજે તો રોઈદાસનો નામશબ્દ મંત્ર જેવો લાગે છે. ઉત્તર હિંદનો ચમાર સંત સોરઠ ધરામાં ક્યારે ઊતરી પડ્યો હશે કદાચ દ્વારકા વગેરેની તીર્થયાત્રાએ નીકળ્યો હશે એક ગી૨ગમાડે બેસી ગયો હશે. પણ સરસાઈમાં શું એ ચમારકામ કરતો હતો? જે કુંડમાં એને ગંગામિલન થયું તે શું આ જ કુંડ?
ખબર નથી. ઊંડા ઊતરવાની જરૂર પણ શી છે ? મહત્ત્વની વાત તો એ ચમાર સંતે સોરઠમાં અંકિત કરેલ સંસ્કારની છે. એ સંસ્કાર કયો ? ભેદની જડ રૂઢિની ભીંતો ભેદવાનો. કથા આવી છે
રોઈદાસજી તો ચમારકામ કરતા કરતાયે પ્રભુમગ્ન હતા. એક દિવસ નદીમાં પોતે કરેલા કુંડ પર બેઠા બેઠા પોતે મૂવેલા ઢોરનું ચામડું થોવે છે રસ્તે એક જાત્રાળુખોનો સંઘ નીકળે છે સંધમાંથી કોઈકે પૂછ્યું – ટીખળ કર્યું? કે શુદ્ધ ભાવે પૂછ્યું ? પૂરે પૂછ્યું ભક્તરાજ ગંગાજીમાં નાહવા ચાલો.'
સંતે કહ્યું કે ભાઈ મુજ ગરીબનું એ ગજું નથી. પણ ઊભા રહો આ એક શ્રીફળ લેતા જાવ ને ગંગામાઈને કહેજો
કે રોઈદાસે મોકલ્યું છે. પણ ભાઈઓ માતાજી હાથોહાથ લ્યે તો જ આપજો નહીં તો ન આપતા.'
કંકણવંતો હાથ
યાત્રિકોનો સંઘ હસતો હસતો ચાલ્યો ગયો. કાશીધામમાં પહોંચીને યાત્રિકોએ ઠેકડી કરી. શ્રીફળ લઈને એક જણાએ ગંગાતી ઊભાં ઊભાં કહ્યું માતાજી રોઈદાસ ચમારે શ્રીફળ મોકલ્યું છે પણ હાથોહાથ લ્યો તો જ આપવાનું છે.'
હાંસી યાત્રીઓના હોઠમાં સમાઈ ગઈ. ગંગાના નીર વચ્ચેથી કોઈ કંકણે રણઝણતો એક હાથ કોણી સુધી ઊંચો થયો ફેંકાયેલું શ્રીફળ એ હાથની હથેળીમાં ઝિલાયું શ્રીફળવંતો હાથ પાછો જળમાં સમાયો.
કાંઠે ઊભેલો સંઘ સ્તબ્ધ બન્યો. એણે નદીને સંબોધી હૈ લોકમાતા ચમારનું શ્રીફળ તમે હાથોહાથ ઝીલ્યાનું અમે કહેશું તો કેમ મનાશે? કશીક એંધાણી આપશો ?'
જવાબમાં જળમાંથી એક કંકણનો ઘા થયો. ગંગાના કાંડા માયલું એક એ કંકણ સંધે પાછા સરસાઈ પહોંચી સંતને આપ્યું. સંતે એ સુવર્ણકંકણને ભેટ મોકલ્યું યોગ્ય સ્થાને – ગામના ઠાકોરને ઘેર. ઠાકોરની કુંવરીએ કંકણની પૂરી જોડ્ય માટે રઢ લીધી. ઠાકોર સંતના ચર્મકુંડે ગયા. કુંડમાં નવાં નીર ઊભરાયાં તેના બુર્બુદોમાંથી બીજું કંણ નીકળ્યું. સંતે કુંડમાં ગંગાજી પધાર્યા પેખ્યાં. ઠાકોર કંક્શના કામી ગંગાની પ્રસાદીય લેતો જા
ઠાકોરે અંજિલ ધરી સંતે ચર્મકુંડોમાંથી છાપવું ભરી જલ હોરાવ્યું. રગાયેલો ઠાકોર પ્રાશન કરવાને બદલે કુંડજલ બાંયમાં
ઉતારી ગયો પણ એ તો આવળના તૂરા પાણીના ડાઘ લૂગડા પરથી જતા નહોતા ધોણ્ય ધોનારી રાજબાંદીએ ડાઘ કાઢવા માંય મોમાં લઈ ચૂસી ધોઈને પાછી વળી ત્યારે ધોણ્યની ગાંસડી શિરથી ચાર આંગળ ઊંચેરી ઊપડતી આવે
આ ચમત્કારરૂપકનો મર્મ ચાહે તે હો પણ એક વાત તો વિલસી આવે છે કે ખરું સત માનવતાનું છે નથી રાજકોટનું કે નથી તીર્થે તીર્થે ભટકવા જતી આભડછેડિયા ધર્મવૃત્તિનું. ધરતીનાં ધગધગતાં પડો વચ્ચે ગૂંગળાતાં ને રૂંધાતાં ગંગાજી એક કર્મયોગી ચમારને ઘેરે ચાલતાં આવ્યાં અને ઉચ્ચ વર્ણઓને એ સેંકડો ગાઉ શોધ્યાંય ન જડ્યાં.
એકરાષ્ટ્રતાના સ્તંભો
રોઈદાસજી અહીં સોરઠધરામાં આવ્યા હશે રહ્યા હશે એ તો સંભવિત વાત છે. રાષ્ટ્ર આખો રાજશાસનને હિસાબે તો કોઈક જ વાર એક છત્ર તળે હતો પણ એની એકરાષ્ટ્રતા તો સંસ્કારજીવનની હતી. સંસ્કારદૃષ્ટિ રાષ્ટ્ર એક અને અખંડિત હતું એક અને અવિભાજ્ય હતું એક અને સુગઠિત હતું. શાસનની એકતાને તો બ્રિટિશ રાજ આવ્યા પૂર્વે હિંદે ઘણાં વર્ષો સુધી ઝાઝી જાણી નહોતી. એ વાતને છુપાવવાથી શો ફાયદો છે ? એકરાષ્ટ્રતા એકરાષ્ટ્રતા એવા જાપ જપવાની રાજદ્વારી દલીલબાજીનો તો કશો અર્થ જ નથી. સાચી એકરાષ્ટ્રતા જે સંસ્કારની હતી તેના સ્થાપકો રાજપુરુષો પત્રકારો ને મુત્સદ્દીઓ નહોતા પણ આ બાવા' નામે અળખામણા ને ભગતડા' નામે ભુંડા દેખાડવામાં આવેલા સંતો હતા.
પુસ્તક સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં
લેખક ઝવેરચંદ મેઘાણી